ખાલી બાપુ કહેવાથી દરબાર ઓળખાય ?? ખાસ વાંચો આ લેખ.
કલા સાહિત્ય
ગુજરાત
ભારત
સત્ય ઘટના – દરબાર કોને કહેવાય ? ખાલી બાપુ કહેવાથી દરબાર ઓળખાય ?? ખાસ વાંચો આ લેખ.
જામનગર જિલ્લાનું નાનું ગામ. ભાદરવા મહિના ના દિવસો હતાં.
અને તે દિવસોમાં એક વખત મેઘતાંડવ સર્જાણુ હતું.
નાગમતી નદી બે કાંઠે વહી જાય છે.સિમમાંથી ગામમાં આવવાનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો.
સાંજનાં સમયે ઘેલાભાઈ કણબી અને એમના ધર્મપત્ની મોતીબેન વાડીએથી ગાડું જોડી ને ગામમાં આવતાં હતાં.
નાગમતી ને કાંઠે પહોંચ્યા અને જોયું તો રસ્તો બંધ છે.
પણ બળદો ને જાણે ખોળ ની ઉતાવળ હોય, તેમ ઘેલા પટેલ ની સતાણ રાસ હોવા છતાં નદીનાં કાંઠા સુધી આવી ગયાં.
અને કુદરતનું કરવું કે જે જગ્યા એ ગાડુ ઉભું હતું, તેજ જગ્યાએથી ભેખડ પડી નદીમાં.
પટેલ પટલાણી અને બળદ ગાડું બધું ગયું નાગમતી નદીમાં.
ગામમાં કાળો દેકારો બોલી ગયો.
ઘેલા પટેલ તણાયા, ઘેલા પટેલ તણાયા.
આગળ જતાં નદીની વચ્ચે એક ટેકરો આવતો હતો. એ ટેકરા ઉપર તાડનાં ઝાડ હોય. તે ઝાડ પકડીને પટેલ અને પટલાણી બંને બુમો પાડતાં હતાં, કે કોક બચાવો, કોક બચાવો.
ગામનાં 100 જેટલા વ્યક્તિઓ ત્યાં હાજર હતા. પરંતુ કાળ બનેલી નાગમતીમાં પડવાની કોઈની હિમ્મત ચાલે ખરી.
તેવાં જ સમયે એક વ્યક્તિએ દોડતાં આવીને ગામના ચોરે બેઠેલા વજેસંગ બાપુને વાત કરી.
( વજેસંગ માનસંગ જાડેજા )
બાપુ..બાપુ… આપણા ખેડુ ઘેલાભાઈ અને એમના વહુ બેય નદીમાં પડી ગયા છે.
વજેસંગ બાપુ એ કહ્યું, કે ગામ નું કોઈ ત્યાં હાજર નથી.
ત્યારે પેલાં માણસે કહ્યું : બાપુ 100 જણાં હાજર છે. પણ આવી ધસમસતી નાગમતી નદીમાં પડે કોણ…?
બાપુ વજેસંગ બોલ્યા, અરે વાલા, કોઈ માણસ નો જીવ જતો હોય, તો નાગમતી શું ને દરિયો શું. હાલ મને જલ્દી આ જગ્યા બતાવ.
એ ભાઈ અને બાપુ બેવ દોડતાં ઘટના સ્થળે પહોંચી જાય છે.
અને જોતજોતાંમાં તો એક પળ નો પણ વિલંબ કર્યા વગર વજેસંગ બાપુ કાળ બની ને ઉભરી રહેલી નાગમતી નદી માં ધુબકો મારે છે.
આખા ગામનાં યુવકો પણ મોંઢા માં આંગળા નાખી જાય છે. કે બાપુ આ શું.?
અને ઉદગાર નીકળે વાહ બાપુ, વાહ બાપુ,
આ વાત ની જાણ વાયુવેગે વજેસંગ બાપુના દિકરા ઉમેદસિંહ ને થઈ, અને તેમણે કીધું, કે મારા જીવતાજીવ મારાં બાપુંને નદીમાં જઇને કોઈનો જીવ બચાવવો પડતો હોય તો મારી જુવાની શું કામની ??
અને આવું કહીંને ઉમેદસિંહ પણ નદી કાંઠે દોડી જઈને નદીમાં જંપલાવે છે. બંને બાપ દીકરો હેમખેમ પટેલ અને પટલાણીનો જીવ બચાવી કાંઠે લાવે છે.
વાત આટલેથી અટકતી નથી : પણ બાપુએ તેમનાં તણાઈ ગયેલાં બળદો નાં બદલામાં તેમને બીજાં બળદોની જોડી પણ લાવી આપી. સાથે જીવનજીવન ની તમામ વસ્તુઓ લાવી આપી.
*દરબારોએ માત્ર રાજ જ કર્યું છે એવું નથી*
સમય આવ્યે પ્રજા માટે પોતાનો જીવ પણ વહાલો કરતાં પળ વારની પરવાહ નહતી કરી. આ ગુણ સાચાં ક્ષત્રિયનાં લોહી હોય જ છે.
અને એટલે જ દુનિયા બાપુ તરીકે બોલાવે છે
જામનગરનાં ઉમેદસિંહ બાપુ અત્યારે પણ હયાત છે